Sunday, 21 August 2011

જગદીશ બદલે જીવ જેવું વર્તન કરો

માતા કૌશલ્યાને ભગવાન જ્યારે વિરાટ બનીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે માતા કહે છે કે પ્રભુ, તમે મારા પુત્ર સ્વરૂપે પધાર્યા હોય તો જગદીશ બદલે જીવ જેવું વર્તન કરો, અને માતાનાં વચન સાંભળીને રામ નવજાત શિશુના સ્વરૂપને ધારણ કરીને રડવા લાગે છે.
રામ જન્મ સમયે રડયા છે, કષ્ણ પણ જન્મ સમયે રડ્યા છે, દરેક મનુષ્યનો જન્મ રડતાં રડતાં થાય તે વધુ સ્વાભાવિક છે, ઘણાં લોકો એમ કહેતા હોય છે કે ફલાણી વ્યક્તિનો જન્મ થયો ત્યારે એ રડ્યા નહોતા અથવા તો ફલાણા માણસનો જન્મ થયો ત્યારે એમનાં મોઢામાં બત્રીસે બત્રીસ દાંત હાજર હતા, પરંતુ એ સ્વાભાવિક નથી, બાળકનાં મોઢામાં એક પણ દાંત ન હોય, કશું બોલતું ન હોય અને રડતું હોય એ જન્મ સમયની આદર્શ અવસ્થા છે.
સમય જતાં બાળકને બે દાંત ફૂટે, એ દાડમની કળી જેવા દાંતને જોવાની જે મઝા આવે, દરેક બાળક એ સમયે બાલકૃષ્ણ જેવો લાગે.
જો બાળક જન્મ સમયે રડે નહીં તો વિજ્ઞાન માટે ચિંતાનો વિષય બની જાય છે, દાક્તર અથવા દાયણ એને રડાવવાનાં પ્રયાસ કરે છે, માટે માણસ રડતાં-રડતાં જન્મે તે વધુ સ્વાભાવિક છે, ત્યાર બાદ તે હસતાં-હસતાં જીવે તે વધુ ઇચ્છનીય છે.

No comments:

Post a Comment

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...