Sunday, 21 August 2011

મનુષ્યના ઉત્તમ પ્રકારનાં જીવનનાં ત્રણ લક્ષણો છે.

આપણી સૃષ્ટિમાં લાખો પ્રકારનાં જીવ છે એમાં હસવાનું વરદાન એકમાત્ર મનુષ્યને મળ્યું છે કારણ કુદરતને ખબર હતી કે સૌથી વધુ ચિંતામાં આ એક જ જીવ રહેવાનો છે એટલે હાસ્યની સૌથી વધુ આવશ્યકતા એને જ રહેવાની છે, માણસે હસતાં-હસતાં જીવવું જોઇએ અને નાચતાં-નાચતાં મરવું જોઇએ.
ચાર-પાંચ વરસ પથારીમાં પડ્યા રહેવું પડે અને પછી મોત આવે એ મોત સારું નથી પરંતુ એક જ મિનિટમાં કામ પતી જાય, નાચતાં-નાચતાં હરિવરને મળવા હાલી નીકળીએ તે મારી દ્રષ્ટિએ ઉત્તમ ગણાય, માટે હું માનું છું કે ક્રાઇંગ બર્થ, લાફિંગ લાઇફ અને ડાન્સિંગ ડેથ એ મનુષ્યના ઉત્તમ પ્રકારનાં જીવનનાં ત્રણ લક્ષણો છે.

No comments:

Post a Comment

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...