કાન્તિલાલની અમૃતવાણી-3
વાહ ……કુદરત તારી …અજાયબીનો પાર નથી
• શ્રીકૃષ્ણ ને પોતાના મામા કંસને મારવો પડ્યો
• પાંડવો એ પોતાના વ્હાલા પિતામહ ભીષ્મને બાણશૈયા પર સુવાડ્યા
• ભકત પ્રહલાદને પોતાના પિતાની આજ્ઞાનું અવગણના કરવાની ફરજ પડી અને તેમના મૃત્યુનું નિમિત બનવું પડ્યું
• રાજા હરિચંદ્ર એ પોતાની પ્યારી રાણી તારામતી ને વેંચવી પડી
• પરશુરામને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની માતાનો વધ કરવો પડ્યો
• શેઠ સગાળશાને પોતાના પુત્ર કૈલયાનો ભોગ ધરાવ્યો.
• (કુંવારી)માતા કુંતીને પોતાના વ્હાલા પુત્ર કર્ણને નદીમાં વહેતો કરવો પડ્યો.
• એક્લવ્ય એ (કપટી ગુરૂને) ગુરૂદક્ષિણા આપવા માટે પોતાના સામર્થ્યનો આધાર એવો જમણા હાથનો અંગુંઠો કાપવો પડ્યો.