Tuesday, 23 August 2011

ઐસા ભી હોતા હૈ

બ્રિટનમાં એક મહિલા ઇલેક્ટ્રિસિટીથી મતલબ કે વીજળીથી ચાલતા ઉપકરણોથી એ હદે એર્લિજક છે કે તે ટેલિવિઝન જોઇ શકતી નથી, રેડિયો સાંભળી શકતી નથી કે મોબાઇલ ફોન પર વાત પણ કરી શકતી નથી. નોટિંગહામશાયરમાં રહેતી જેનિસ ટનીક્લિફ નામની આ મહિલા તબીબી પરિભાષામાં 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી જ્વલ્લેમાં જ્વલ્લે જ જોવા મળતી સમસ્યાથી પીડિત છે.
૫૫ વર્ષની જેનિસને ત્રણ વર્ષ અગાઉ બોવેલ કેન્સર થયું હતું ત્યારે તેણે કેમોથેરાપી લીધી હતી તે દરમિયાન તે 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી'ના સકંજામાં આવી હતી. તે ઇલેક્ટ્રિક કેટલનો પણ ઉપયોગ કરી શકતી નથી અને તેણે વોશિંગ મશીન પણ આઉટહાઉસ (ઘરની બહાર આવેલી ઓરડી)માં રાખ્યું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી બચવા તેણે ઘરની બારીઓ પણ સ્પેશિયલ મટિરિયલથી ઢાંકેલી રાખવી પડે છે.

આમ, જેનિસ તેની મેડિકલ કન્ડિશનના કારણે આધુનિક વિશ્વથી સંપૂર્ણપણે અલિપ્ત રહી ગઇ છે. તે કોઇ પણ વિદ્યુત ઉપકરણની નજીક હોય ત્યારે તેને માથું દુખવા લાગે છે, છાતીમાં દુખાવો થાય, ઉબકાં આવે અને હાથ-પગમાં કંઇ ભોંકાતું હોય તેવી ઝણઝણાટી થાય છે.
જેનિસે જણાવ્યું હતું કે, "હું ૨૦ મિનિટ આઇ-ફોનની નજીક રહું તો ઘણી અશક્તિ અનુભવવા લાગું છું. વાઇ-ફાઇથી મારા માથામાં સખત દુખાવો થાય છે."
ફેબ્રુઆરી, ૨૦૦૮માં જેનિસને પેટમાં સખત દુખાવો ઉપડતાં અને ઊલટીઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને મેડિકલ ટેસ્ટ્સ બાદ માલૂમ પડયું હતું કે તેને આંતરડાંનું કેન્સર છે. જોકે, ડોક્ટર્સે તેના આંતરડામાંથી કેન્સરની ગાંઠ દૂર કરી દીધી હતી. ગાંઠ ૬ ઇંચની હોવા છતાં કેન્સર ફેલાયું નહોતું પરંતુ અગમચેતીરૃપે જેનિસને કેમોથેરાપી આપવાનું નક્કી કરાયું હતું.
કેમોથેરાપી લીધા પછી જેનિસની તકલીફો શરૃ થઇ છે. તે જ્યારે પણ કોઇ ઇલેક્ટ્રિક અને વાયરલેસ ઉપકરણના સંસર્ગમાં આવે ત્યારે બીમાર પડી જાય છે. તેનું કહેવું છે કે, "મારું માનવું છે કે કેમોથેરાપીને ઇલેક્ટ્રો સેન્સિટિવિટી સાથે સંબંધ અવશ્ય હોવો જોઇએ, પરંતુ આ વાત સ્વીકારવા કોઇ તૈયાર નથી."
સુરક્ષિત પર્યાવરણને પ્રોત્સાહન માટે કાર્યરત સંસ્થા 'પાવરવોચ'ના ટેક્નિકલ મેનેજર ગ્રેહામ લેમ્બર્નના કહેવા મુજબ, ઇલેક્ટ્રો સેન્સિટિવિટીને એક બીમારી તરીકે ઓળખવામાં તબીબી વ્યવસાય ધીમો છે, કેમ કે ઇલેક્ટ્રો સેન્સિટિવિટી કયા કારણોથી થાય છે તે હજુ જાણી શકાયું નથી.


જેનિસ 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી સમસ્યાથી પીડિત છે
કોઇ પણ વિદ્યુત ઉપકરણના 'સંસર્ગ'માં આવે એટલે બીમાર પડી જ સમજો

No comments:

Post a Comment

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...